હર ફિક્ર કો ધુએમેં ઉડાતા ચલા ગયા.......મેં ઝીન્દગીકા સાથ નિભાતા ચલા ગયા......
સાથ જ તો આપીએ છે આપણે આપણી જિંદગીને, તો પછી આ ચર્ચા શેની છે??
અનુરાગ કશ્યપનું નો સ્મોકિંગ યાદ આવે છે. જબ ભી સિગરેટ જલતી હૈ મૈ જલતા હું.......શું લાજવાબ રીતે એણે સ્મોકિંગને જીવનની આઝાદી સાથે સરખાવ્યું છે. અરે ઉડાવીદો બધું ધુમાડામાં અને બેફીકર બનીને મસ્ત મૌલાની જેમ જીઓ યારો......
બસ ને........ખાલી વાતોમાં જ આવી આઝાદી અનુભવાય છે ને? કાલે સવારે ક્લાસમાં જવાનું છે, પેપર્સ ચેક કરવાના બાકી છે, ઘરમાં કબાટ કરાવવા માટે રંગરેજ ને બોલાવાનો છે, ભાઈબંધની મેરેજની ગીફ્ટ ખરીદવાની છે, પાસબુકમાં એન્ટ્રી કરાવવાની છે, શોપિંગ કરવાનું છે, અને દિવાળીમાં ફરવા જવાની ટીકીટ બુક કરાવવાની છે.
અલા આનો કાઈ એન્ડ છે કે નઈ? હા હા હા..........છે ને જિંદગીની અજીબ માયાજાળ. જો જો ફસાતા એમાં.......
અરે બાપુ, આજ તો જિંદગી છે.....કભી દુર કભી પાસ આયે, કભી યુહીં મુસ્કુરાયે, કભી આયે જાયે આયે જાયે ઐસી ઝીંદગી........
આપણું જીવન આવી નાની-મોટી અનેક ઘટનાઓનું સાક્ષી છે......અને તેથી જ આપણું જીવન સાવ આપણું નથી..........
સુરજ છે, કેલેન્ડર છે, આઈપોડ છે, કોથળી છે.........અને આવી દરેક નાની મોટી વસ્તુ નિમિત્ત છે એવી અનેક ઘટનાઓની, જે આકાર લે છે આપણી આસ-પાસ. થોડીક આપણી ગમતી, આપણાથી ઘડાતી, તો થોડીક અણગમતી પણ ક્યારેક આપણને જ ઘડતી.
અરે રે......મૂળ પ્રશ્નતો અનુત્તર જ રહી ગયો.............
ચાલો ફરી પૂછી લઉં...........
આપણું જીવન સાચે જ આપણું હોય છે?
Tuesday, September 29, 2009
આપણું જીવન સાચે જ આપણું હોય છે?
ક્યાંક કોઈ પંખી નો કલબલાહટ, ક્યાંક વાગતું ધીમું સંગીત. ક્યાંક કોઈ બે મળેલા જીવ ની વાતો, ક્યાંક પોતાના માં જ ખોવાઈ જવાનો એહસાસ......
મન થાય છે ઘણી વાર આમાંથી કશુક બનવાનું, કરવાનું કે અનુભવવાનું. પણ........
એમ નથી લાગતું કે કંઇક આપણી પાસે હોવા છતાં આપણી પાસે નથી, કોણ રોકે છે મને આવી આઝાદી મેળવવા માંથી? તો પણ કેમ હું કુદરત ના ખોળામાં નઈ પણ એક યંત્રવત જીવનમાં ગૂંચવાએલો છું?
આપણે આપણું જીવન આપણી સ્વતંત્ર મરજીથી કેમ ના વિતાવી શકીએ......કેમ આઝાદ થવા માંગતા આપણા આ પંખીડાને સ્વજનો, કામ, મિત્રો અને દુનિયાદારી નું અદ્રશ્ય પીંજરું નડે છે?
આ જ કોશિશ આ બ્લોગની મદદથી કરવાનું વિચારું છું............જોઈએ કેટલા બંધન તોડી શકાય છે અને કેટલા જોડી શકાય છે?
મન થાય છે ઘણી વાર આમાંથી કશુક બનવાનું, કરવાનું કે અનુભવવાનું. પણ........
એમ નથી લાગતું કે કંઇક આપણી પાસે હોવા છતાં આપણી પાસે નથી, કોણ રોકે છે મને આવી આઝાદી મેળવવા માંથી? તો પણ કેમ હું કુદરત ના ખોળામાં નઈ પણ એક યંત્રવત જીવનમાં ગૂંચવાએલો છું?
આપણે આપણું જીવન આપણી સ્વતંત્ર મરજીથી કેમ ના વિતાવી શકીએ......કેમ આઝાદ થવા માંગતા આપણા આ પંખીડાને સ્વજનો, કામ, મિત્રો અને દુનિયાદારી નું અદ્રશ્ય પીંજરું નડે છે?
આ જ કોશિશ આ બ્લોગની મદદથી કરવાનું વિચારું છું............જોઈએ કેટલા બંધન તોડી શકાય છે અને કેટલા જોડી શકાય છે?
Subscribe to:
Posts (Atom)